અમેઠીમાં સ્મૃતિ ઈરાનીનો ગૃહ પ્રવેશ, નવા ઘરમાં પતિ સાથે કરી એન્ટ્રી

2019ની ચૂંટણી જીત્યા બાદ સ્મૃતિ ઈરાનીએ અહીં ઘર બનાવવા માટેનું અમેઠીની જનતાને આપેલું વચન આજે પૂરું થયું છે.

ધાર્મિક પૂજા વિધિ બાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ અમેઠીમાં નવા બનાવવામાં આવેલા ઘરમાં ગૃહ પ્રવેશ કર્યો.

આ દરમિયાન સ્મૃતિ ઈરાની પોતાના માથા પર કળશ પકડેલા જોવા મળ્યા હતા.

ગૃહ પ્રવેશ દરમિયાન તેમના પતિ જુબિન પણ તેમની સાથે હતા. બુધવારે જ સાંસદ સ્મૃતિ ઈરાનીના નવા ઘરમાં પૂજા શરૂ થઈ હતી

ઉજ્જૈનથી આવેલા પૂજારી આશિષ મહારાજના નેતૃત્વમાં પૂજારીઓએ ગૃહ પ્રવેશની વિધિઓ શરૂ કરી હતી.

આ દરમિયાન સ્મૃતિ ઈરાનીના નવા ઘરમાં સ્થાપિત દેવી-દેવતાઓની મૂર્તિઓની પ્રાણ-પ્રતિષ્ઠા પણ કરવામાં આવી હતી.

ગૃહ પ્રવેશ વિશાળ ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લાના ભાજપના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં હાજરી આપશે.