મંગળવારે 50000000 રૂપિયાનું દાન... બુધવારે MPના આ મંદિરમાં પહોંચ્યા અનંત અંબાણી
એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણી (Mukesh Ambani)ના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન થવા જઈ રહ્યા છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ (Anant-Radhika) આગામી 12મી જુલાઈ 2024ના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે.
આ પહેલા અનંત અંબાણી બુધવારે રામનવમી (Ram Navami)ના દિવસે દતિયામાં પિતાંબરા માતાજીના મંદિરે પહોંચ્યા હતા.
આસ્થાનું કેન્દ્ર ગણાતા મધ્યપ્રદેશના આ મંદિરે પહોંચીને તેમણે ગર્ભગૃહમાં વિશેષ પૂજા કરી હતી.
અનંત અંબાણીએ ધૂમાવતી માતાની આરતીમાં ભાગ લીધો અને મહાભારત કાલીન વનખંડેશ્વર મહાદેવનો જલાભિષેક કર્યો હતો.
આ પહેલા મંગળવારે અનંત અંબાણી ગુવાહાટીના કામાખ્યા દેવીના મંદિરે પણ પહોંચ્યા હતા અને પૂજા કરી હતી.
રિપોર્ટ મુજબ, તેમણે ચૈત્ર નવરાત્રીની અષ્ટમી પર આસામના આ મંદિરે દર્શન કર્યા અને 50000000 રૂપિયાથી વધુનું દાન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ ઈવેન્ટ ગુજરાતના જામનગરમાં 1થી 3 માર્ચ દરમિયાન યોજાઈ હતી.
આ પછી હવે અંબાણી પરિવારમાં લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે અને આ દરમિયાન અનંત અંબાણી ઘણા મંદિરોમાં જતા જોવા મળે છે.
રામ નવમીએ સાળંગપુરના કષ્ટભંજન દાદાનો પહેલા ક્યારેય ન જોયો હોય તેવો ખાસ શણગાર
Related Stories
Vijender Singh : પિતા બસ ડ્રાઈવર, પત્ની એન્જિનિયર, જાણો કેટલું ભણેલા છે બોક્સર વિજેન્દર સિંહ
વેજ મંચુરિયન ખાનારાઓ સાવધાન! ગોવા બાદ હવે આ રાજ્યમાં મુકાયો પ્રતિબંધ
PM મોદીએ કાઝીરંગામાં જંગલ સફારીનો માણ્યો આનંદ, હાથી પર બેસીને કરી ફોટોગ્રાફી
87 થી 250 રૂપિયા પર પહોંચ્યો આ સ્ટોક્સ... પહેલા દિવસે રોકાણકાર થયા માલામાલ!