મંગળવારે 50000000 રૂપિયાનું દાન... બુધવારે MPના આ મંદિરમાં પહોંચ્યા અનંત અંબાણી

એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણી (Mukesh Ambani)ના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન થવા જઈ રહ્યા છે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ (Anant-Radhika) આગામી 12મી જુલાઈ 2024ના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે.

આ પહેલા અનંત અંબાણી બુધવારે રામનવમી (Ram Navami)ના દિવસે દતિયામાં પિતાંબરા માતાજીના મંદિરે પહોંચ્યા હતા.

આસ્થાનું કેન્દ્ર ગણાતા મધ્યપ્રદેશના આ મંદિરે પહોંચીને તેમણે ગર્ભગૃહમાં વિશેષ પૂજા કરી હતી.

અનંત અંબાણીએ ધૂમાવતી માતાની આરતીમાં ભાગ લીધો અને મહાભારત કાલીન વનખંડેશ્વર મહાદેવનો જલાભિષેક કર્યો હતો.

આ પહેલા મંગળવારે અનંત અંબાણી ગુવાહાટીના કામાખ્યા દેવીના મંદિરે પણ પહોંચ્યા હતા અને પૂજા કરી હતી.

રિપોર્ટ મુજબ, તેમણે ચૈત્ર નવરાત્રીની અષ્ટમી પર આસામના આ મંદિરે દર્શન કર્યા અને 50000000 રૂપિયાથી વધુનું દાન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ ઈવેન્ટ ગુજરાતના જામનગરમાં 1થી 3 માર્ચ દરમિયાન યોજાઈ હતી.

આ પછી હવે અંબાણી પરિવારમાં લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે અને આ દરમિયાન અનંત અંબાણી ઘણા મંદિરોમાં જતા જોવા મળે છે.