રામ નવમીએ સાળંગપુરના કષ્ટભંજન દાદાનો પહેલા ક્યારેય ન જોયો હોય તેવો શણગાર

રામ નવમીના પર્વની દેશભરમાં ધામધુમથી આજે ઉજવણી કરવામાં આવી રહી છે. 

રામ નવમી પર સાળંગપુર ધામમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. 

આ પ્રસંગે સાળંગપુરમાં આવેલા જગપ્રસિદ્ધ કષ્ટભંજન દાદાને ખાસ શણગાર કરાયો હતો.

સાળંગપુર હનુમાનજીને હજારીગલના ફુલોથી ધનુષ-બાણનો શણગાર કરાયો હતો. 

આ સાથે જ દાદાને પહેરાવાયેલા ખાસ મુગટમાં પણ રામ-સીતાની પ્રતિમા જોવા મળી હતી.

હનુમાન દાદાના આ અનોખા શણગાર દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.