હનુમાન જયંતી બાદ આ 3 રાશિના જાતકોનો ભાગ્યોદય,નહીં ખૂટે ધનના ભંડાર

19 APR 2024

હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે.

આ વર્ષે 23 એપ્રિલે હનુમાન જયંતિ છે, જ્યોતિષના મતે આ વખતે હનુમાન જયંતિ 2 શુભ સંયોગોમાં આવી રહી છે

પ્રથમ, આ વખતે હનુમાન જયંતિ મંગળવારે છે અને બીજું, આ દિવસે ચિત્રા નક્ષત્ર અને વજ્ર યોગનો સંયોગ છે, આ શુભ સંયોગથી ત્રણ રાશિઓને ફાયદો થશે

મેષ- નોકરી અને વ્યવસાયમાં લાભ થશે, આવકમાં વધારો થશે તેમજ આર્થિક પાસું મજબૂત રહેશે. નોકરીની નવી તકો મળી શકે છે, પદ અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે

કોર્ટના મામલામાં રાહત મળશે અને ઘરમાં ઝઘડાનું નિવારણ આવશે, બાળકોની એકાગ્રતા વધવાથી તેઓ અભ્યાસમાં સારું પ્રદર્શન કરશે

મિથુન- તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. કરિયરમાં સફળતાની તકો મળશે. પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે, પરિવારમાં ખુશીઓ આવશે

આ ઉપરાંત, અચાનક નાણાકીય લાભ થવાની સંભાવના છે, તમને ગુપ્ત સ્ત્રોતો થી પણ પૈસા મળી શકે છે. ધન સંચય પણ સરળતાથી થશે.

કુંભ- ધંધામાં નફો વધશે. રોકાણ માટે આ સમય શુભ રહેશે. પ્રોપર્ટીમાં કોઈ જૂના રોકાણથી પણ તમને લાભ મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે.

આ સિવાય પેન્ડિંગ કામ ઝડપથી પૂર્ણ થશે. પિતાના સહયોગથી મહત્વપૂર્ણ કામમાં ગતિ આવશે. વિવાહિત જીવનમાં પણ મધુરતા વધવાની સંભાવના છે.