ગોવિંદાના જમાઈને શું થયું? IPLમાં રમવા નથી મળી રહ્યો ચાન્સ...

IPL 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ સારું પ્રદર્શન કર્યું છે અને શરૂઆતની 4માંથી 3 મેચ જીતી છે.

IPL 2024માં નીતિશ રાણાની ખૂબ ચર્ચા થઈ રહી છે. KKRના વાઈસ કેપ્ટન નીતિશ રાણાએ આ સીઝનમાં માત્ર 1 મેચ રમી છે.

23 એપ્રિલે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મેચમાં ફિલ્ડિંગ સમયે નીતિશ રાણાના હાથમાં ઈજા પહોંચી હતી.

આ બાદથી નીતિશ રાણાને તક નથી મળી. આશા હતી કે રાણાને ચેન્નઈ સામેની મેચમાં ચાન્સ મળશે, પરંતુ આ મેચમાં પણ તેને તક ન મળી.

નીતિશ રાણાએ પોતે CSK સામેની મેચ પહેલા સંકેત આપ્યા હતા કે તે મેદાન પર ઉતરવા માટે તૈયાર છે.

રાણાએ લખ્યું હતું કે, એક મોટા સ્મિત અને આશીર્વાદ સાથે મેદાન પર ઉતરવા રાહ નથી જોઈ શકતો.

નીતિશ રાણા સંબંધમાં બોલિવૂડ એક્ટર ગોવિંદાના જમાઈ છે. નીતિશની પત્ની સાચી મારવાહ ગોવિંદાની ભત્રીજી થાય છે.

એકવાર કપિલ શર્માના શોમાં ગોવિંદાના ભત્રીજા કૃષ્ણા અભિષેકે જણાવ્યું હતું કે સાચી તેની કાકાની દીકરી છે.

જણાવી દઈએ કે નીતિશ રાણાએ IPL 2023માં કોલકાતા નાઈટ રાઈડર્સની કેપ્ટનશીપ કરી હતી.