15 MAR 2024
હિંદુ પંચાંગ અનુસાર ફાગણ મહિનાના શુક્લ પક્ષની આઠમ તિથિથી પૂનમ તિથિ સુધી હોળાષ્ટક ચાલે છે
હિંદુ ધર્મમાં હોળાષ્ટકનો દિવસ અશુભ માનવામાં આવે છે, એટલા માટે આ સમયે કોઈ પણ માંગલિક કાર્ય કરવામાં આવતા નથી
વૈદિક પંચાંગ અનુસાર ફાગણ મહિનાના શુક્લ પક્ષની આઠમ તિથિની શરૂઆત 16 માર્ચે રાત્રે 09.39 મિનિટ થઈ રહી છે, તેનું સમાપન 17 માર્ચે સવારે 09.53 મિનિટ પર થશે
તેના કારણે 17 માર્ચથી હોળાષ્ટક શરૂ થશે, 24 માર્ચે હોલિકા દહનની સાથે હોળાષ્ટકનું સમાપન થશે
હોળાષ્ટકમાં 8 દિવસ ભગવાન વિષ્ણુની પૂજા કરવી શુભ માનવામાં આવે છે
હોળાષ્ટકમાં દાન જેવા શુભ કાર્ય કરવા જોઈએ, તેનાથી જીવનમાં સુખ-શાંતિનો વાસ થાય છે અને સમસ્યાઓ દૂર થાય છે
હોળાષ્ટકમાં કોઈ પણ પ્રકારના નવા કાર્યની શરૂઆત કરવી જોઇએ નહીં
ગૃહ પ્રવેશ, મુંડન જેવા શુભ કાર્ય પણ હોળાષ્ટકમાં થતાં નથી
હોળાષ્ટકના 8 દિવસમાં કોઈનો સંબંધ નક્કી કરવો જોઈએ નહીં અને લગ્ન જેવા માંગલિક કાર્યો પણ થતાં નથી